અંબાણી પરિવાર અને બચ્ચન પરિવાર દેશના પ્રખ્યાત લોકોમાં શામેલ છે. અંબાણી પરિવાર વ્યવસાય જગતમાં તેની ક્ષમતાથી છલકાઈ રહ્યો છે, બચ્ચન પરિવારે અભિનયની દુનિયામાં ધ્વજરોપણ કર્યું છે. અંબાણી પરિવારની પુત્રવધૂ ટીના મુનિમ પણ અભિનેત્રી રહી ચૂકી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના ઘણા મિત્રો છે, પરંતુ બચ્ચન પરિવાર સાથે ખૂબ સારી બોન્ડિંગ શેર કરે છે. ચાલો જોઈએ તસવીરોમાં અમિતાભ બચ્ચનનો પરિવાર અનિલ અંબાણી અને ટીના મુનિમ સાથે કેટલો નજીક છે.
અમિતાભ બચ્ચન અને ટીના મુનિમે ક્યારેય સાથે ફિલ્મ કરી નહોતી પરંતુ બંને સારા મિત્રો છે.અમિતાભ અને ટીના ઘણા વર્ષોથી એક બીજાના ઘણા સારા મિત્રો છે.અમિતાભ અને જયા સાથે સમય વિતાવતા અનિલ અંબાણી અને ટીના મુનિમની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર છે.
અનિલ-ટીના અને અમિતાભ-જયા ચોક્કસપણે એક બીજાના પારિવારિક કાર્યોમાં સામેલ છે.ટીના અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનને પોતાનો પુત્ર માને છે.અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય અનિલ અંબાણીના ઘરે એક કાર્યક્રમમાં.ટીના અંબાણી પણ અમિતાભની પુત્રી શ્વેતાને પસંદ કરે છે.ટીના બચ્ચન પરિવારના કોઈ પણ સભ્યની સૌથી નાની ખુશી માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ લખી રહી છે.રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ સાથે અનિલ અંબાણી, જયા બચ્ચન અને ટીના અંબાણી.
એ દિવસો જતાં રહ્યાં જ્યારે બચ્ચન પરિવાર મુકેશ અંબાણીની પાર્ટીમાં જોવા પણ મળતો નહોતો. અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી વચ્ચે ગાઢ મિત્રતાથી હોવાની પરિવારે મુકેશ અંબાણી સાથે અંતર જાળવી રાખ્યું હતું.જોકે, હવે દિવસો બદલાઈ ગયા છે. અંબાણીબંધુઓ વચ્ચેના સંબંધો ધીરે ધીરે સુધરી રહ્યાં છે. આ જ કારણથી નિકટના મિત્રો જેવા કે બચ્ચન પરિવાર પણ મુકેશ અંબાણી સાથે સંબંધો વધારે છે.
અબુ જાની અને સંદિપ ખોસલાએ ‘ઈન્ડિયાઝ ફેન્ટાસ્ટિક્સ’ નામની બુક લોન્ચ કરી હતી. મુકેશ-નીતાએ અબુ-સંદિપના માનમાં એક શાનદાર પાર્ટી આપી હતી. પાર્ટીમાં અમિતાભ બચ્ચનની સાથે જયા બચ્ચન, ઐશ્વર્યા રાય અને શ્વેતા બચ્ચન હાજર રહ્યાં હતા. પરિવારે પાર્ટીમાં ઘણો સારો એવો સમય વીતાવ્યો હતો.
અમારા વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી વચ્ચે સારી એવી મિત્રતા છે અને આ જ કારણથી અમિતાભ અને મુકેશ અંબાણી વચ્ચે ક્યારેય સારા સંબંધો ના હોય તે સમજી શકાય તેમ છે. જોકે, હવે મુકેશ-અનિલ વચ્ચેના સંબંધો ધીરે ધીરે મીઠાશ આવી રહી છે. આથી જ તેમના નિકટના મિત્રો બંને ભાઈઓ વચ્ચે મિત્રતાના બંધનો બાંધી રહ્યા છે.
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અલગ-અલગ કંપનીઓ ચલાવી રહ્યા છે. મુકેશ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સીઈઓ છે, જ્યારે અનિલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે.સૂત્રોના મતે, અનિલ અને મુકેશ અલગ-અલગ કંપની જ ચલાવશે પરંતુ હવેથી તેમની વચ્ચેના મતેભદોને ભૂલીને પ્રશ્નોનો ઉકેલ લાવશે.વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે મુકેશ અને અનિલ વચ્ચેના સંબંધો સુધરતાં હવે બચ્ચન સહિતના કોમન ફ્રેન્ડ્સ બંને ભાઈઓની પાર્ટીમાં કોઈ પણ સંકોચ વગર ભાગ લઈ શકશે તે વાત તો નક્કી છે.અનુષ્કા અને વિરાટ તેમના પરિવાર સાથે હાલમાં દેહરાદૂનમાં છે અને તેઓ પહેલી જાન્યુઆરીએ સગાઈ કરશે એવી વાતો ચાલી હતી. જોકે ગઈ કાલે બપોરે અનિલ અંબાણી તેમનાં પત્ની ટીના અંબાણી અને બિગ બી તેમનાં પત્ની સાથે જૉલી ગ્રાન્ટ ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેઓ ઍરપોર્ટ પરથી રિશીકેશથી ૧૭ કિલોમીટર દૂર નરેન્દ્રનગરમાં આવેલી આનંદા હોટેલમાં ગયાં હતાં જ્યાં વિરાટ અને અનુષ્કા શનિવારથી રોકાયાં છે. અંબાણી અને બચ્ચન પરિવારની હાજરીથી વિરાટ-અનુષ્કાની સગાઈની વાત જોરશોરમાં ચાલી રહી છે. જોકે તેમના તરફથી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી.
આ સગાઈમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હરીશ રાવત પણ હાજરી આપશે એવું લાગી રહ્યું છે. બચ્ચન પરિવાર અને બાકીના લોકોએ પહેલી જાન્યુઆરી સુધી હોટેલમાં તેમનું બુકિંગ કરાવ્યું છે એવી ચર્ચા છે. નરેન્દ્રનગર પોલીસ-સ્ટેશનના ઇનચાર્જ મોહમ્મદ અકરમે કહ્યું હતું કે સેલિબ્રિટીઝને લઈને આનંદા હોટેલની આસપાસની સિક્યૉરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે.અનુષ્કાનાં નાની ઊર્મિલા શર્મા દેહરાદૂનનાં છે જે હજુ પણ હયાત છે. અનુષ્કાનાં નાની દેહરાદૂનનાં હોવાથી જ તેઓ ત્યાં સગાઈ કરવા ઇચ્છે છે એવું બની શકે. તેમણે મંગળવારે હરિદ્વારના પથરીમાં આવેલા આંબુવાલા ગામમાં એક આશ્રમની મુલાકાત લીધી હતી એવી પણ વાતો ચાલી રહી છે. અનુષ્કા અને વિરાટને જોવા માટે હોટેલની બહાર ઘણા લોકો ભેગા થઈ રહ્યા છે. હરિદ્વારમાં આવેલા અનંત ધામ આશ્રમના સ્વામી અનંત મહારાજ વિરાટ અને અનુષ્કાના ધર્મગુરુ છે અને તેમણે ગઈ કાલે બપોરે વિરાટ-અનુષ્કાની મુલાકાત લીધી હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે.